અમદાવાદ : નવરંગપુરાના ફ્લેટમાં આગ, બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટા ઉડ્યા.

0
244

 

અમદાવાદના નવરંગપુરામાં આવેલી બિલ્ડિંગના ફ્લેટમાં આગ લાગવાનો આજે સવારે બનાવ બન્યો છે. વિવાન ફ્લેટ-3માં ઉપરના માળે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી.

આગના કારણે ફ્લેટમાં દોડધામ મચી હતી, તેમજ અન્ય રહેવાસીઓના જીવ પણ પડીકે બંધાયા હતા. હાલ આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here